Aarogya Minds LogoAarogya Minds

આઈપીએલ અને જુગાર: એક ચિંતાજનક સંયોજન

Dr. Arpit Madhusudanbhai Jani 4/24/2025
આઈપીએલ અને જુગાર: એક ચિંતાજનક સંયોજન
D

By Dr. Arpit Madhusudanbhai Jani

M.D.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ માત્ર ક્રિકેટનો તહેવાર જ નથી, પણ એક મોટો વ્યાપાર પણ છે. દર વર્ષે ઉત્સાહ અને ઉત્સુકતાથી ભરેલા લાખો દર્શકો ટેલિવિઝન અને મોબાઇલ સ્ક્રીન સામે ચોંટાઈ જાય છે. પરંતુ આ ઉત્સાહના પડછાયામાં એક ગંભીર સમસ્યા છુપાયેલી છે – જુગાર.

આઈપીએલ અને જુગાર વચ્ચેનો સંબંધ

આઈપીએલમાં મેચો ઝડપથી બદલાતી હોય છે, જેના કારણે લોકો ‘લાઈવ બેટિંગ’ તરફ આકર્ષાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને સોશિયલ મિડીયા દ્વારા જુગાર વધુ સરળ અને આકર્ષક બની ગયો છે. ઘણા યુવાનો, ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતાં યુવકો, મોજ-મસ્તી તરીકે શરૂઆત કરે છે, પણ ધીરે ધીરે એ એક લત બની જાય છે.

તાજેતરના એક અહેવાલ મુજબ, 2024 દરમિયાન ભારતમાં અંદાજે ₹20,000 કરોડથી વધુનું બેટિંગ માત્ર આઈપીએલ દરમિયાન થયું હતું. આમાંથી મોટો હિસ્સો ગેરકાયદેસર ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા યોજાયો હતો.

કાયદેસર કે ગેરકાયદેસર ?

ભારતમાં સત્તાવાર રીતે ખેલ પર જુગાર ગેરકાયદેસર છે, પરંતુ કેટલાય ઓનલાઈન પોર્ટલ્સ અને એપ્સ આ કાયદાનું ઉલ્લંઘન કરીને કામગીરી કરે છે. કેટલાક તો વિદેશી સર્વર્સ પર ચાલે છે, જેને નિયંત્રિત કરવું વધુ પડતું મુશ્કેલ છે. કેટલાક રાજ્યોએ રમીને જીતેલા પૈસાને લોટરી અથવા જુગાર તરીકે ગણાવીને તેના પર કાયદેસર કાર્યવાહી પણ કરી છે.

આર્થિક અને સામાજિક અસર

જુગારથી ઘણા લોકો પોતાની બચત ગુમાવી દે છે. 2023 અને 2024માં દેશભરમાં જુગારને કારણે પોતાનું બધું ગુમાવી દિવાના થયેલા લોકોના કેસોમાં 40%નો વધારો નોંધાયો છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે અનુસાર, આવાં કેસોમાં આવતા દર્દીઓમાં વ્યસન, ડિપ્રેશન અને આત્મહત્યાની વૃત્તિઓ સામાન્ય બની ગઈ છે.


મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા 75 કેસ આવાં નોંધાયા છે જેમાં વ્યક્તિએ જુગારના કારણે પોતાની મિલકત ગુમાવી અને માનસિક સારવારની જરૂર પડી.

ઉપચાર અને જાગૃતિની જરૂર

આવા સમયે લોકોમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. શિક્ષણ સંસ્થાઓમાં જુગાર વિશેની શૈક્ષણિક કાર્યશાળાઓ, પેરેન્ટલ માર્ગદર્શન અને સરકાર તરફથી નિયંત્રણો આ સમસ્યાને ઘટાડવા માટે જરૂરી છે. અન્ય દેશોની જેમ ભારતમાં પણ મેનટલ હેલ્થ હેલ્પલાઈન્સ અને વ્યસનમુક્તિ કેન્દ્રોની એક ખાસ શાખા જુગાર માટે શરૂ કરવી જોઈએ.

સાઈકિયાટ્રિસ્ટ તરીકેનો અનુભવ અને ઉપચારના વ્યવહારૂ પાસાઓ
નિદાન (Diagnosis):

જુગારને ચિકિત્સાત્મક રીતે "ગેમ્બલિંગ ડિસઓર્ડર" તરીકે ઓળખવામાં આવે છે, જેનો સમાવેશ DSM-5 (Diagnostic and Statistical Manual of Mental Disorders)માં વ્યસન સંબંધિત માનસિક રોગ તરીકે થાય છે. આના મુખ્ય લક્ષણોમાં સમાવિષ્ટ છે:

➤ જુગાર પર સતત વિચાર આવતા રહેવું

➤ નુકસાન છતા પણ જુગાર ચાલુ રાખવો

➤ વધુ રકમ હાર્યા પછી "હાર પુરી કરવા"ના પ્રયાસો

➤ પરિવાર અને કામકાજને નુકસાન થાય છતાં લત છોડવામાં અસમર્થતા

ઉપચાર (Treatment):

મારા અનુભવ મુજબ, જુગારગ્રસ્ત દર્દીઓનો ઉપચાર મુખ્યત્વે ત્રણ સ્તરે થતો હોય છે:

માનસિક થેરાપી (Psychotherapy):

CBT (Cognitive Behavioral Therapy) ખૂબ અસરકારક છે. તે દર્દીનું વિચારી શકાય એવું વર્તન બદલવામાં મદદ કરે છે.
Motivational Interviewing જે દર્દીની અંદરથી બદલાવ લાવવાની ઇચ્છા જગાવે છે.

દવાઓ (Medication):

➤ કેટલાક કેસોમાં antidepressants (જેમ કે SSRIs), mood stabilizers અથવા Naltrexone જેવી દવાઓ ઉપયોગી થઇ શકે છે.

➤ દવા પસંદગી વ્યક્તિની સહ-અસ્તિત્વ ધરાવતા રોગો (co-morbidities) પર આધાર રાખે છે.

સામાજિક સહારો અને પરિવારી સહયોગ :

➤ પરિવાર સાથે ખુલ્લી વાતચીત, સમજ અને સપોર્ટ ઘણી મહત્વપૂર્ણ છે.

➤ Support Groups (જેમ કે Gamblers Anonymous) દર્દીઓને એકલું મહેસૂસ થવા દેતા નથી.

વ્યવહારૂ ટીપ્સ:

➤ ડિજીટલ ડિટોક્સ: મોબાઇલ/એપ્સમાંથી બેટિંગ પ્લેટફોર્મ્સ દૂર કરવું.

➤ ટ્રિગર ઓળખવી: જે વાતો, પરિસ્થિતિઓ કે લાગણીઓ જુગાર તરફ ખેંચે છે, તેનું ધ્યાન રાખવું.

➤ દૈનિક રુટિન બનાવવું : રેગ્યુલર શિડ્યુલ, એક્સરસાઈઝ અને ધ્યાન (meditation) દ્વારા ફોકસ બદલવો.

➤ પોઝિટિવ રીવોર્ડ સિસ્ટમ: લત તરફ ન વળો ત્યારે પોતાની સફળતા માટે પોતાને પ્રોત્સાહન આપવું.

મારા અનુભવોમાંથી:

દર્દીઓ ઘણી વાર શરમ અને પસ્તાવાના કારણે આરંભે ખુલીને વાત નથી કરતા. પણ જેમ જેમ વિશ્વાસ વધી જાય છે, તેમ તેમ તેઓ પોતાનો દુઃખદ અનુભવ વિષે વાત કરે છે. જુગાર ઘણી વખત અન્ય માનસિક સમસ્યાઓ (જેમ કે ડિપ્રેશન, એન્ગઝાયટી)નું પરિણામ હોય છે – એટલે હર એક કેસ માટે ‘એક-જ’ ઉપચાર કે ઉપાય કારગર નથી.

નિષ્કર્ષ

આઈપીએલ એક રમૂજી રમત છે, પણ જો તેનો ઉપયોગ ગેરમાર્ગે થાય, તો એ વિનાશ તરફ લઈ જઈ શકે છે. રમતને રમત જ રાખવી એ દરેક પ્રેક્ષકની જવાબદારી છે. વેપાર અને મનોરંજન વચ્ચેની રેખા ભૂલવી નહીં જોઈએ – કેમ કે ક્યારેક એક સાદો દિલચસ્પ શોખ જીવન બદલતી લત બની શકે છે.

Found this useful?
Share with others:
Not related to Mental Health?Flag this article as inappropriate
Follow us for regular updates
D

Dr. Arpit Madhusudanbhai Jani

M.D.

Consultant Psychiatrist , De Addiction specialist and Sexologist practising in Ahmedabad having experience of 8 years in field of Mental Health.

Latest Blogs

Thumbnail for The War Within

The War Within

Why the battle against terror also demands a reckoning with our own fears, values, and history!

Read More
Thumbnail for યુદ્ધની છાયામાં Post Traumatic Stress Disorder (PTSD): મૌન ઘા અને એની અસર

યુદ્ધની છાયામાં Post Traumatic Stress Disorder (PTSD): મૌન ઘા અને એની અસર

જ્યારે યુદ્ધનો ઉલ્લેખ થાય છે, ત્યારે આપણે બંદૂકો, સરહદો અને રાષ્ટ્રીયતા વિશે વિચારી લઈએ છીએ. પણ યુદ્...

Read More
Thumbnail for વહેમ ની દવા ના હોય ?

વહેમ ની દવા ના હોય ?

ડિલ્યુઝન ( વહેમ / શંકા ) : ડિલ્યુઝન એ એવી ખોટી માન્યતા છે જે વાસ્તવિકતા, તાર્કિકતા કે પુરાવા સામે હ...

Read More
Thumbnail for ઊંઘ (નિંદર) ની સમસ્યા અને તેને દૂર કરવાની સહેલી રીતો

ઊંઘ (નિંદર) ની સમસ્યા અને તેને દૂર કરવાની સહેલી રીતો

ઊંઘ શું છે અને તે શા માટે જરૂરી છે? ઊંઘ એ એક કુદરતી પ્રક્રિયા છે જેમાં શરીર અને મન આરામ પામે છે. ...

Read More
Thumbnail for The Child's Mind and Academic Pressure — Understanding, Challenges, and Solutions...

The Child's Mind and Academic Pressure — Understanding, Challenges, and Solutions...

Introduction: The Stress-Filled Childhood of Today......... Academics……Competition……Success…… Thes...

Read More
Thumbnail for How to Manage Stress After 12th Board Results – A Simple Guide”

How to Manage Stress After 12th Board Results – A Simple Guide”

The day of results can feel like a rollercoaster. For some, it's a moment of joy and celebration. Fo...

Read More
Thumbnail for Social Media's Dark Side: Misha Agarwal's Tragic loss

Social Media's Dark Side: Misha Agarwal's Tragic loss

Influencer Misha Agarwal's tragic suicide underscores social media's severe mental health impact. It...

Read More
Thumbnail for The Never-Fading Shadow of Terror: Psychological Trauma Across Generations

The Never-Fading Shadow of Terror: Psychological Trauma Across Generations

Terrorism's immediate violence fades, but a deeper wound persists: psychological trauma echoing acro...

Read More
Thumbnail for આઈપીએલ અને જુગાર: એક ચિંતાજનક સંયોજન

આઈપીએલ અને જુગાર: એક ચિંતાજનક સંયોજન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ માત્ર ક્રિકેટનો તહેવાર જ નથી, પણ એક મોટો વ્યાપાર પણ છે. દર વર્ષે ઉત્...

Read More
Thumbnail for From Code to Consciousness: Why Your Brain Is the Most Fascinating Software

From Code to Consciousness: Why Your Brain Is the Most Fascinating Software

Explore how neuroscience, psychiatry, and philosophy reveal the mysteries of the mind. Learn how thi...

Read More

Blogs by Dr. Arpit Madhusudanbhai Jani

Thumbnail for વહેમ ની દવા ના હોય ?

વહેમ ની દવા ના હોય ?

ડિલ્યુઝન ( વહેમ / શંકા ) : ડિલ્યુઝન એ એવી ખોટી માન્યતા છે જે વાસ્તવિકતા, તાર્કિકતા કે પુરાવા સામે હ...

Read More
Thumbnail for Gujarat Passes Law to Ban Black Magic and Inhumane Practices

Gujarat Passes Law to Ban Black Magic and Inhumane Practices

The Gujarat Assembly has passed a law banning human sacrifice, black magic, and inhumane rituals, ai...

Read More
Thumbnail for Government Drafts Bill to Combat Black Magic and Inhuman Practices in Gujarat

Government Drafts Bill to Combat Black Magic and Inhuman Practices in Gujarat

કાળો જાદુ અને અઘોરી પ્રથાઓ જેવી અમાનવીય પ્રવૃતિઓને રોકવા માટેનો કાયદો

Read More